Whatsapp Group માં જોડાવા | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

Best tourist Places in gujarat:ગુજરાતમાં ફરવા લાયક છે આ બેસ્ટ જગ્યાઓ, જો તમે ગુજરાતના છો કે ગુજરાત બહારથી ગુજરાતમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો, તો તમારા માટે આ પોસ્ટ ખુબ જ કામની છે.ગુજરાતમાં એવા ઘણા સ્થળો છે, જે આખા વલ્ડમાં પોતાની ઓળખ બનાવી છે. આવો ગુજરાતના અગત્યના સ્થળો વિશે જાણીએ…..
કચ્છનું સફેદ રણ
Best tourist Places in gujarat: આ સુંદર સફેદ રણ છે. જ્યાં દર વર્ષે આ રણમાં ગુજરાત સરકાર દ્વારા ‘રણ મહોત્સવ’નુ આયોજન કરવામાં છે. આ મહોત્સવમાં તમને ગુજરાતની સંસ્કૃતિ તેમજ કચ્છી લોકગીત, કચ્છી લોક નૃત્ય અને ખાણી પીણીનો અનેરો આનંદ મળશે. આ રણ મહોત્સવની શરૂઆત નવેમ્બર માસમાં થાય છે.
આ પણ જુઓ: KBC Registration 2023 On SonyLiv App
ગીર નેશનલ પાર્ક
Best tourist Places in gujarat: આ એશિયાઈ સિંહો માટે વિશ્વભરમાં જાણીતુ છે. અહીં તમે એકસાથે ઘણી પ્રજાતીઓના સિંહ જોઇ શકો છો. એની સાથે તમને બીજા અનેક સજીવો જેવાકે અહીં ફિશ આઉલ, બ્લેક બક જેવા ઘણા જાનવર પણ જોવા મળશે.તે જોવાની ખુબજ આનંદ આવે છે. ખરેખર આ એક લાહ્વો છે.
કીર્તિમંદિર (પોરબંદર) તથા ગાંધી આશ્રમ (અમદાવાદ)
Best tourist Places in gujarat: મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો, જે જગ્યા પર તેઓ પોરબંદરમાં રહેતા તે જગ્યાને કીર્તિમંદિર તરીકે પણ ઓળખવા આવે છે. ગાંધીજી લગ્ન બાદ 12 વર્ષ સુધી ગાંધીજી પોતાની પત્ની કસ્તુરબાની સાથે સાબરમતી આશ્રમમાં રહ્યાં હતા, જે અમદાવાદમાં આવેલો છે. એટલે અહીં આજે પણ તમને ગાંધીજીનો ચરખો અને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીય વસ્તુઓ જોવા મળશે.
આ પણ જુઓ: Weight loss importance tips:વજન ઘટાડવા માટેની અગત્યની ટિપ્સ
કાંકરિયા તળાવ
Best tourist Places in gujarat: કાંકરિયા તળાવ અમદાવાદનું સૌથી મોટુ તળાવ છે, જે બહુજ સુંદર છે. અહીં જઇને તમને શાંતિ અને અનેરો આનંદ થશે. તળાવ પર લગાવેલી લાઇટ તેની સુંદરતા ખૂબ વધારી દે છે. કાંકરિયા તળાવમાં તમે તમારા પરિવાર સાથે બૉટિંગ પણ કરી શકો છો, અને ત્યાંનો લેસર શૉ ખૂબ જ સુંદર અને જોવા જેવો છે.આ તળાવ ની વચ્ચે નગીનાવાડી આવેલી છે.
અક્ષરધામ મંદિર
Best tourist Places in gujarat: અક્ષરધામ મંદિર ગાંધીનગરનુ સૌથી મહત્વપૂર્ણ આકર્ષણનું કેન્દ્ર છે, અહીં તમે જાણીતા મ્યૂઝિક એન્ડ વૉટર શૉમાં પણ જોઇ અને આનંદ માણી શકો છો. તે પણ એક લાહવો છે.
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી
31/10/2018એ આપણાં વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીએ લોખંડી પુરુષ – શ્રી સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરતા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનુ ઉદઘાટન કર્યુ હતુ, જે 182 મીટર ઉંચુ છે, અને વિશ્વનુ સૌથી ઉંચુ સ્ટેચ્યૂ છે, ગુજરાતમાં આ સ્થળ ખુબ મજાનુ અને રમણીય છે.

Whatsapp Group માં જોડાવા | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |